Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

નરસિંહ નગરમાં રોગચાળાનો ભયઃ સફાઇ સહિતની કામગીરી કરવા રજુઆત

વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરને પત્ર

રાજકોટ તા. ૧૮ : શહેરના માર્કેટયાર્ડ વિસ્તારના નરસિંહ નગર સોસાયટીમાં સફાઇના અભાવે લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છ.ેત્યારે આ અંગે યોગ્ય કરાવા વિસ્તારના સભ્યો દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરી છે. આ વિસ્તારની બાજુમાંં ખુલ્લા પ્લોટો છેલ્લા ૩૦ થી ૩પ વર્ષથી આવેલ છે.જેમાં ગંદકીના કારણે મચ્છરોનું ઉત્પતી સ્થાન આવેલ છે. જેના લીધે આ વિસ્તારમાં તાવ, ડેન્ગ્યુ, મેલેરીયાનો રોગ વકરેલ છે જેથી આ અંગે યોગ્ય પગલા લેવા વિસ્તારવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છ.ે

(3:49 pm IST)