Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

લક્ષ્મીનગર રેલ્વે નાલાના કામ માટે રેલ્વે તંત્ર ગતિમાં : ગોવિંદ પટેલ

રાજકોટ તા ૧૮  : લક્ષ્મીનગર રેલ્વે અંડરબ્રીજના કામ માટે રેલ્વે તંત્ર ગતિમાં આવ્યાનું એક નિવેદનમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, રેલ્વે અંડરબ્રીજ અંગે ઘણા સમયથી રાજકોટ વેસ્ટ નાના મોૈવા રોડની આજુબાજુની સોસાયટી અને લતાવાળાની માંગ હતી, જેને છેલ્લા ચાર વર્ષથી સતત રજુઆતોનો અંત આવતો હોય તેમ જણાય છે. ત્રણેક માસ પહેલા ટેન્ડર નોટીસ આપેલ, પરંતુ કોઇએ ટેન્ડર ભરેલ નહિ, જેથી ફરીથી રી ટેન્ડર થયેલ છે, જે ટેન્ડરો આવતા બે ત્રણ દિવસમાં ખુલશે.

ટેન્ડર ફાઇનલ થતાં જ દિવાળીની આજુબાજુ કામ શરૂ થાય તેવી પૂર્વ તૈયારી હોવાનું અંતે ગોવિંદ પટેલ જણાવેલ છે.

(3:38 pm IST)