Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કોઠારિયા વિસ્તારની ૧૬ વર્ષની સગીરાને ગોપાલ ડોડીયા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ, તા.૧૮: કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિજયનગરમાં રહેતો શખ્સ ભગાડી જતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી સગીરાના પિતાએ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં વિજયનગર-ર માં રહેતો ગોપાલ લલીતભાઇ ડોડીયાનું નામ આપ્યુ છે. સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતે મજુરી કામ કરે છે તેને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં મોટી દીકરી ૧૬ વર્ષની છે તે ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે. મારા મકાનના ઉપરના માળે રહેતા લલીતભાઇ ડોડીયા અને પત્નિ સાથે ભાડે રહે છે. તેનો મોટો પુત્ર ગોપાલ (ઉ.વ.૨૮) અને નાનો ધાર્મિક (ઉ.વ.૨૪) બંને મોરબીમાં રહી લુહારીકામ કરે છે. અને કયારેક પિતાને મળવા રાજકોટ આવતો હોઇ ગત તા.૧૫ના રોજ મારી ૧૬ વર્ષની પુત્રી સ્કુલે જવા માટે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના તે પોતે અને પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ કરતા પોતાના જ મકાનમાં ભાડે રહેતા લલીતભાઇ નથુભાઇ ડોડીયાનો પુત્ર ગોપાલ લલીતભાઇ ડોડીયા (ઉ.વ.૨૮) સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પોતે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. વી.કે.ગઢવી તથા રાઇટર નિલેષભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)