Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બેભાન હાલતમાં હર્ષદસિંહ સોલંકી અને ચંદુભાઇ ડાંગરએ દમ તોડ્યો

આર્યશ્રી રેસિડેન્સી અને શિવધામ સોસાયટીના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આર્યશ્રી રેસિડેન્સી એ-૧, ૪૦૨ ખાતે રહેતાં હર્ષદસિંહ પ્રદ્યુમનસિંહ સોલંકી (ઉ.વ.૩૫)ને સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરે હતાં ત્યારે શ્વાસની તકલીફ થતાં આનંદ બંગલા ચોકમાં ડો. ભગવાનજીભાઇ પટેલના દવાખાને સારવાર અપાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલાએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ એ. એમ. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ વિમલનગર પાસે શિવધામ-૩માં રહેતાં ચંદુભાઇ ખેંગારભાઇ ડાંગર (ઉ.૫૮) રાતે દોઢેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(1:38 pm IST)