Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ક્ષત્રીય રાજપૂત સમાજનાં બહેનો માટે રવિવારે રાસોત્સવ

રાજકોટ તા. ૧૮ :.. શહેરમાં રાજપૂત સમાજનાં બહેનો માટે આગામી તા. ર૧ ને રવિવારે રાસોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે અકિલા કાર્યાલયની શુભેચ્છા  મુલાકાતેે આવેલા વિવિધ રાજપુત આગેવાનોએ વિસતૃત વિગતો આપતા જણાવેલ કે શ્રી ક્ષત્રિય સમાજ રાસોત્સવ ૨૦૧૮ નું  ભારતીય સંસ્કૃતિ ના પ્રતિક સમાન નવરાત્રી પર્વ પર શ્રી ્ક્ષત્રિય રાજપૂત સમાજ રાજકોટ દ્વારા ભવ્ય આયોજન તા. ૨૧ ને રવિવારે સાંજે ૬.૩૦ કલાકે સ્થળ સહિયર કલબ ફનવર્લ્ડ ની બાજુમાં, રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે રાખેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કારડીયા રાજપૂત  સમાજ, રજપૂત પરા પ્રમુખ અરૂણસિંહ સોલંકી, શ્રી કારડીયા રાજપૂત સમાજ બોર્ડ પ્રમુખ શ્રી રમેશભાઇ ચોૈહાણ નાડોદા, રાજપૂત સમાજના પ્રમુખ જીણાભા ચાવડા, મારૂ રાજપૂત સમાજના  રીતેશસિંહ રાઠોડ, ગુર્જર રાજપૂત સમાજ ના પ્રમુખ  વિક્રમસિંહ પરમાર, સમસ્ત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ ગોવિંદસિંહ, કારડીયા રાજપૂત ગીર સોમનાથના પ્રમુખ મનોજસિંહ  તેમજ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ ના આગેવાનો  જહેમત ઉઠાવી રહ્યા છે.

ફકત શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનો માટે આ રાસોત્સવનું આયોજન કરેલ છે. આ રાસોત્સવમાં રમવા માટેના પાસો કાયક્રમ સ્થળ ઉપર વ્યવસ્થા રાખેલ છે તેમ ક્ષત્રિય રાજપૂત સમાજ આગેવાનોની યાદીમાં જણાવાયું છે. (પ-૩૧)

(3:50 pm IST)