Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાજકોટના પ્રતિષ્ઠિત શેઠ બિલ્ડર્સવાળા દિલસુખભાઈ શેઠના લઘુબંધુ ચંદ્રકાંતભાઈ શેઠના પત્નિ સરયુબેન અરિહંત શરણ પામ્યા : કાલે સવારે ૮:૩૦ વાગ્યે અંતિમયાત્રા

રાજકોટ : મુળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.માણેકચંદ ડાહ્યાભાઈ શેઠના પુત્ર વધુ તથા શેઠ બિલ્ડર્સવાળા દિલસુખભાઈ શેઠના લઘુબંધુ ,ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષણ સમિતિના સભ્ય અને શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંદ્યના પ્રમુખ,શેઠ ઉપાશ્રય અને શેઠ પૌષધશાળાના ચેરમેન જૈન શ્રેષ્ઠિવય શ્રી ચંદ્રકાંતભાઈ શેઠના ધર્મપત્ની સરયુબેન શેઠ (ઉંમર ૬૫) તે ઋષભભાઈ શેઠ અને જહાંનવીબેન બીજલભાઈ ચોવટીઆ( અમદાવાદ) ના માતુશ્રી તથા સ્વ.વિનુભાઈના લઘુબંધુના ધર્મ પત્નિ તથા સ્વ.જયશ્રીબેન રશિમકાંતભાઈ દોશી અને ડો. નરેનભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈના ભાભી આજે તા.૧૮//૧૯, બુધવારના સાંજે કલાકે અરિહંત શરણ પામેલ છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગત દિવ્યાત્મા ચિરઃ શાંતિ,સમાધિ અને શીઘ્રાતિ શીઘ્ર મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શાશ્વત સુખોને પામે તેવી દેવાધિદેવને પ્રાર્થના... સદ્દગતની અંતિમ યાત્રા આવતી કાલ ગુરુવારે સવારે :૩૦ કલાકે તેઓના નિવાસ સ્થાને ( અર્હમ્ પેલેસ,પારસ સોસાયટી, પારસ હોલ સામે,રાજકોટ) થી નીકળી રામનાથ પરા મુકિતધામ ખાતે અંત્યેષ્ઠિ વિધી માટે નીકળશે.

(7:03 pm IST)