Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નિકાસકારોને અટવાયેલા પેમેન્ટ તુર્તમાં ચુકવાશે : પાર્થ ગણાત્રાની સફળ રજુઆત

રાજકોટ તા. ૧૮ : ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સ, ગુજરાત ઝોનની રીજીઓનલ એડવાઇઝરી કમીટીની અમદાવાદ ખાતે મળેલ મીટીંગમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા દ્વારા નિકાસકારોના વિવિધ પ્રશ્નોની રજુઆતો કરવામાં આવી હતી. નિકાસકારોને જુન મહીનામાં શીપીંગ બીલમાં અટેવાયેલ પેમેન્ટ સહીતના મુદ્દે થયેલ રજુઆતો ધ્યાને લઇ પ્રિન્સીપલ ચીફ કમિશ્નર દ્વારા સ્થળ ઉપર જ નિકાલ લાવી નિકાસકારોને આગામી ૧૫ દીવસમાં અટવાયેલ પેમેન્ટ રીલીઝ કરી દેવાના આદેશો આપ્યા હતા. તેમ ચેમ્બરની યાદીમાં જણાવાયુ છે.

(3:40 pm IST)