Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

ભાણવડ, ખંભાળીયા, કલ્યાણપુર, રાવલ તથા દ્વારકા, ઓખામાં ભાજપ સંગઠનના હોદેદારો સાથે મીટીંગઃ આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરાશે

રાજકોટ તા. ૧૮: શહેરના પુર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયની દેવભૂમિ દ્વારા જિલ્લાના ભાજપ સંગઠનના સંરચના અધિકારી તરીકે નીમણુંક કરવામાં આવી છે. જે અન્વયે આગામી શનિવારે તા. ર૧નાં જીલ્લાના વિવિધ તાલુકા, શહેરના સંગઠનના હોદેદારો સાથે બેઠક યોજાશે અને આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આ અંગે ડો. જૈમનભાઇએ જણાવ્યું હતું કે, આગામી તા. ર૧ સપ્ટેમ્બરનાં રોજ સંરચના અધિકારી તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રવાસ કરવામાં આવશે.  જેમાં સવારે ૯ કલાકે ભાણવડ શહેર તથા તાલુકા, સવારે ૧૧ કલાકે ખંભાળીયા શહેર-તાલુકા તથા બપોરે ૩ કલાકે કલ્યાણપુર તાલુકા તથા રાવલ શહેરની બેઠક તેમજ સાંજે પ કલાકે દ્વારકા શહેર-તાલુકા ઓખા શહેર સહિત જિલ્લાના તાલુકા-શહેર કક્ષાની બેઠક કરવામાં આવશે.

આ મીટીંગમાં મંડલમાં રહેતા પ્રદેશ તથા જીલ્લાના આગેવાનો, મંડલના હોદેદારો, મંડલના મોરચાના પ્રમુખ, મહામંત્રી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકા ચૂંટાયેલા સદસ્યો, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી તથા સીનીયર આગેવાનો, જીલ્લા તથા મંડલ સંરચના અધિકારીશ્રીઓ સાપેક્ષિત હોય છે.

(3:16 pm IST)