Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'ત્રિકોણબાગ કા રાજા' સન્મુખ ૧૦૦૮ દિવાઓની મહાઆરતી : કાલે લોકડાયરો

રાજકોટ : ત્રિકોણબાગ ચોક ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં બિરાજતા 'ત્રિકોણ બાગ કા રાજા' ના સાનિધ્યમાં દરરોજ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે અંતર્ગત ગઇકાલે ૧૦૦૮ દિવડાઓની મહાઆરતી ભૂદેવ અતુલ ત્રિવેદીએ કરી હતી. મહેન્દી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દક્ષાબેન સોલંકી, જીગીશા ખંભાયતા, નેહાબેન ગઢિયા, પ્રજ્ઞાબેન સોજીત્રા, નિધિબેન હરણેશો ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. દરમિયાન આજે રાત્રે ઇસ્કોન અને આર્ટ ઓફ લીવીંગના ભકિતભીના કાર્યક્રમો થશે. કાલે બુધવારે રાત્રે ટી.વી. ફેઇમ લોકસાહિત્યકારો લોકડયારાની રંગત જમાવશે. સમગ્ર કાર્યક્રમોનું ચાર ઇલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી લાઇવ પ્રસારણ થઇ રહ્યુ છે. (૧૬.૩)

(3:25 pm IST)