Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

લાલપરી તળાવ પાસે રહેતાં મિનાબેન સવાસરીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૮: ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી તળાવ પાસે રહેતાં મિનાબેન રૂપસીંગભાઇ સવાસરીયા (ઉ.૪૦) નામના કોળીમહિલા ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના એએઅસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનને જાણ કરતાં એએસઆઇ કે. યુ. વાળા અને અજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:30 pm IST)