Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સ્વતંત્રતા કાર્યક્રમમાં ગુજરાતની સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલની ઉમદા કામગીરીનો ખાસ ઉલ્લેખ કરતા નીતિશકુમાર

આ હોસ્પિટલમાં બિહારના ૪૮૩ બાળકોની સારવાર કરવામાં આવી

રાજકોટઃ ગુજરાતની અતી નામાંકિત અને હૃદયના તદ્દન વિનામૂલ્યે ઓપરેશન કરતી એવી શ્રી સત્યસાંઇ હોસ્પિટલમાં હૃદયના દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે અને જરૃરિયાત વાળા દર્દીઓના ઓપરેશન હોસ્પિટલમાં કોઇ પણ ચાર્જ વગર કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી શ્રીનીતીશકુમાર સ્વાતંત્રદિને તેમના ભાષણમાં શ્રીસત્યસાંઇ હાર્ટ હોસ્પીટલનો ખાસ ઉલ્લેખ કરી કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા બાલ હૃદય યોજના શરૃ કરવામાં આવી હતી જેમાં જન્મથી જ હૃદયમાં છિદ્ર હોય તેવા બાળકોની આ યોજનાથી સારવાર કરવામાં આવે છે. એવા કેટલાય બાળકો હતા જેનો ઉપાય ખૂબ મુશ્કેલ હતો તેના માટે અમે યોજના શરૃ કરી છે. જે અંતર્ગત પ્રશાંતિ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતના અમદાવાદ સ્થિત શ્રીસત્યસાંઇ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં બિહારના ૪૮૩ બાળકોની સારવાર કરવામાં આવી છે. આ કાર્ય સતત થઇ રહયું છે. બાળકો સાથે ત્યાં કોઇ પણ જાય તો તેને આવવા–જવાની અને રહેવાની સુવિધા પ્રાપ્ત કરાઇ છે.

(3:51 pm IST)