Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સતાધાર ગ્રુપ દ્વારા બાળકોને ભોજન

જન્માષ્ટમીના પાવન દિવસોમાં તથા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં સતાધાર યુવા ગ્રુપ રાજકોટ દ્વારા કોઠારીયા ગામ સ્થિત સ્લમ વિસ્તારમાં રહેતા નાના નાના ભુલકાઓની આંગણવાડીના ૧ર૦ થી વધુ બાળકોને ફરસાણ, નમકીન, બિસ્કીટ તથા મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતઓના આર્થિક સહયોગ આ કાર્યને સફળ બનાવવા સતાધાર યુવા ગ્રુપના પ્રમુખ વિશાલભાઇ ચોટલીયા, શુભમભાઇ લાડવા, વિનયભાઇ રામપરીયા, જયભાઇ મારૃ, ભાવિનભાઇ ચોટલીયા, જયદીપભાઇ જાદવ, અંકિતભાઇ પરમાર તથા કર્મદીપ ફાઉન્ડેશનના પ્રમુખ દિપાબેન વઘાસીયા તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)