Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રામનાથપરા વિસ્તારની સગીરા કપડા લેવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતાઃ અપહરણનો ગુનો

પાલીતાણાના ધર્મેશ પરમાર સામે ગુનો :એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ,તા. ૧૮ : રામનાથપરા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા પાડોશી સાથે નવા કપડા લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા ત્રણ દિવસ પહેલા 'પાડોશી સાથે નવા કપડા લેવા જાવ છું' કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના મોટાભાઇ સહિતના પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પાલીતાણા તળાવ પ્રાથમીક શાળા પાસે રહેતો ધર્મેશ નીલાભાઇ મકવાણા સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના ભાઇએ એ -ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાલીતાણાના ધર્મેશ મકવાણા સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ. સી.જી.જોષી તથા વિરભદ્રસિંહ તથા અશ્વીનભાઇએ તપાસ હાથ ધરી છે.

 

(3:44 pm IST)