Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ધર્મસભા-ધર્મયાત્રામાં જોડાઇ લાલાનો જયજયકાર કરીએ : હિમાંશુ પજવાણી

મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષની અપીલ

રાજકોટ, તા. ૧૮ :  વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષ એડવોકેટ હિમાંશુ આર. પજવાણીએ કાલે જન્માષ્ટ્રમીના દિવસે સવારે ૮ વાગ્યે મવડી ચોકડીએ ધર્મસભામાં ઉપસ્થિત રહેવા અને ત્યારબાદ દિવ્ય-ભવ્ય ધર્મયાત્રામાં જોડાવા અપીલ કરી છે.

હિમાંશુ પજવાણીએ જણાવ્યું છે કે શ્રી કૃષ્ણએ પોતાના પ્રાગટયથી લઇ લીલાઓ સુધી જનજનને જીવવાનો નવો રાહ બતાવેલ. તેમણે જીવનમાં જ્ઞાન, ભકિત અને કર્મનો મહિમા બતાવ્યો છે. ભગવાને વાંસળી અને સુદર્શન ચક્રનું અદ્ભૂત સંતુલન કરેલ. આ વર્ષે જન્માષ્ટમીનો વિશેષ ઉત્સાહ છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં જોડાઇને ભકિત-શકિતના દર્શન કરાવાના રૃડા અવસરને વધાવીએ.

(3:44 pm IST)