Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

આપણો પ્યારો તિરંગો

 રાજકોટઃ ગાંધીનગર ગ્રાહક સુરક્ષા વિભાગની સૂચના અન્વયે રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ઉપક્રમે જયુબેલી બાગમાં આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મંડળના પ્રમુખ યશવંત જનાણીના (મો.૯૬૨૪૧ ૧૧૯૫૫) નેતૃત્વમાં આપણા પ્યારા તિરંગા ઝંડાને લહેરાવી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આઝાદી અમર રહો–મહાત્મા ગાંધીજી અમર રહોના બુલંદનારા સાથે સામુહિક સલામી આપવામાં આવેલ.આ પ્રસંગે મહામંત્રી રાજેશભાઇ ગોંડલીયા, મુખ્ય સંયોજક હિંમતભાઇ લાબડીયા, સલાહકાર સમિતિના ચેરમેન મહેશભાઇ મહેતા, મંત્રી આર વીે.સોલંકી, મહિલા અગ્રણી મધુરીકાબેન જાડેજા સહિતના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન ધર્મેશભાઇ ગઢવીએ સંભાળેલ

(3:22 pm IST)