Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજકોટથી ખાખડાબેલા દૂધ ભરવા ગયેલા બ્રિજેશ ગોહેલ પર હુમલો

પૈસાની લેતીદેતીની માથાકુટને લીધે યુવરાજસિંહ, અનોપસિંહ સહિતના લોકોએ રસ્‍તામાં આંતરી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતો બ્રિજેશ અમરૂભાઇ ગોહેલ (ઉ.૩૬) ગત સાંજે પડધરીના ખાખડાબેલા ગામે દૂધ ભરવા ગયો ત્‍યારે હુમલો થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી.
હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં બ્રિજેશે પોતાના પર ખાખડાબેલામાં યુવરાજસિંહ, અનોપસિંહ, ઘનશ્‍યામસિંહ,  મહેન્‍દ્રસિંહ, કિશોરસિંહ સહિતે લાકડીથી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો. બ્રિજેશના સગાના કહેવા મુજબ પૈસાની લેતીદેતીના મામલે આ હુમલો થયો હતો. પડધરી પોલીસ વધુ તપાસ કરશે.

 

(11:47 am IST)