Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ગાંધીગ્રામ સત્યનારાયણનગરમાં જયેશ અજાગીયા પર સુનિલ , તેની પત્નિ શિતલ અને પૂનમનો હુમલોઃ ખૂનની ધમકી

રાજકોટઃ ગાંધીગ્રામ સત્યનારાયણ નગર-૨માં રામાનંદ આશ્રમની સામે રહેતાં  જયેશભાઇ બકુલભાઇ અજાગીયાને સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ કવાર્ટર નં. ૬૩૩માં રહેતાં સુનિલ સંતોષભાઇ દૂબે, શિતલ સુનિલ દૂબે અને વૃંદાવન સોસાયટી પાછળ કવાર્ટરમાં રહેતી પૂનમ લક્ષમણભાઇ રાઠોડે મળી મારકુટ કરી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અને લાકડી ફટકારી જમણો હાથ ભાંગી નાંખતા ગાંધીગ્રામના પીએસઆઇ આર.એસ. પટેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:23 am IST)