Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

દશનામ ગોસ્વામી સમાજ પ્રેરીત અતિત નવ નિર્માણ સેનાની સ્થાપનાઃ સભ્યોને ફરસાણ વિતરણ

રાજકોટ,તા.૧૮: દશનામ ગોસ્વામી સમાજ પ્રેરીત અતિત નવ નિર્માણ સેનાની સ્થાપના કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા જનમાષ્ટમી પર્વ નિમિતે દશનામ ગોસ્વામી સમાજ (રાજકોટ શહેરમાં) વિનામૂલ્યે ફરસાણ વિતરણ કરવામાં આવશે.

આ સંસ્થામાં જે લોકો સભ્યપદ ધરાવતા હશે. તેઓને જ આ સંસ્થાનો લાભ મળશે. જે લોકોને સભ્ય બનવુ હોય (રાજકોટ શહેર પુરતુ મર્યાદીત) તેઓએ સંસ્થાના હોદેદારોનો સંર્પક કરવો. તા.૧૯ રવિવારથી તા.૨૩ ગુરૂવાર સભ્ય ફોર્મ વિતરણ ભરીને પરત કરી દેવા.

આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ રાજેશગિરિ ઈશ્વરગિરિ (મો.૯૫૧૨૪ ૫૩૭૦૯), મંત્રી હસમુખગિરિ ગોપાલગિરિ (મો.૯૯૭૮૦ ૩૫૮૬૩), સંગઠન મંત્રી ભાવેશપરી મનસુખપરી (મો.૯૭૩૭૬ ૬૫૩૩૦), સંજયગિરિ બચુગિરિ, નિલેશ ભારથી ભગવાન ભારથી, દર્શનગિરિ નિરંજન ગિરિ, હિરેનગિરિ હસમુખગિરિ, રાજેશગિરિ મુળગિરિ, પ્રભાતગિરિ ચુનીગિરિ, રાજેશગિરિ ઈશ્વરગિરિ, હસમુખગિરિ ગોપાલગિરિ, ભાવેશપરી મનસુખપરી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૦.૬)

(3:48 pm IST)