Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ટ્રાફીક-પાર્કિંગની સમસ્યા દૂર કરવા હાથ ધરાયેલ ડીમોલીશનમાં વેપારીઓ સ્વયંભુ સહકાર આપી રહ્યા છેઃ મેયર બીનાબેન

રાજકોટ, તા. ૧૮ :. મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુકત રીતે શહેરના રાજમાર્ગો ઉપરથી ટ્રાફીક અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે માર્જિન-પાર્કિંગમાંથી દબાણો દૂર કરવા હાથ ધરાયેલ ઝુંબેશમાં વેપારીઓના સહકારથી તંત્ર સફળ થઈ રહ્યુ છે અને કાલાવડ રોડ સહિતના રાજમાર્ગો ઉપરથી ટ્રાફીક હળવો થઈ રહ્યાનું અનુભવાઈ રહ્યુ છે ત્યારે વેપારીઓ અને નાગરીકો આ ઝુંબેશમાં વધુને વધુ સહકાર આપે તેવી અપીલ મેયર શ્રી બીનાબેન આચાર્યએ કરી છે.(૨-૨૧)

(3:47 pm IST)