Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

રેસકોર્ષમાં બોર રીચાર્જીંગ સફળઃ વરસાદી પાણી તળમાં ઉતર્યુ

રાજકોટઃ. શહેરમાં વરસાદી પાણી ભરાવવાની કાયમી સમસ્યા ધરાવતા સ્થળોએ બોર કરી અને વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની બોર રીચાર્જીંગ યોજના અંતર્ગત મ્યુ. કોર્પોરેશને રેસકોર્ષમાં બોર રીચાર્જીંગ યુનિટ કાર્યરત કર્યુ છે. ગઈકાલે રાત્રે થયેલા વરસાદને કારણે જે પાણી આ સ્થળે ભરાયુ હતુ તે તમામ પાણી બોરમાં ઉતરી જતા જમીનના તળ જીવંત થઈ રહ્યા છે. તસ્વીરમાં વહેલી સવારે ભરાયેલ પાણી બપોર સુધીમાં બોરમાં ઉતરી ગયુ હતુ જે દર્શાય છે (૨-૨૦)

(3:45 pm IST)