Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમીરનૂર ગ્રુપ દ્વારા ધ્વજવંદન

રાજકોટ : મુસ્લિમ વિસ્તાર નહેરૂનગરમાં અમીનૂર ગ્રુપ આયોજીત અને સેન્ટ ગાર્ગી સ્કૂલના ઉપક્રમે સ્વતંત્ર દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સૈયદ એજાઝબાપુ બુખારી, રજાકભાઇ કારીયાણીયા અને વકાર બ્લોચ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ડે. કમિશનર શ્રી કરગથરા, વોર્ડ નં. ર ના પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ પંડિત, વોર્ડ નં. ર ના મહામંત્રી જયસુખભાઇ પરમાર, હાજી ફારૂકભાઇ બાવાણી, યુસુફભાઇ જે.કે., રજાકભાઇ જુણેજા, જીવાણી, રમાબેન હેરભા (સેન્ટ ગાર્ગી સ્કૂલના સંચાલક), જયેશભાઇ સુરેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૈયદ એજાઝબાપુ બુખારી, રજાકભાઇ કારીયાણીયા, વકાર બ્લોચ 'સકલૈની', પરવેઝભાઇ કુરેશી, સેફાલીબેન લાસારી, સમીમબેન મામટી, શબાનાબેન શેખ, હુઝેફાભાઇ શાકીર, સૈયદ તોફીકબાપુ કાદરી, નવાઝભાઇ બ્લોચ, રફીકભાઇ કારીયાણીયા, ગુલામ હુસેનભાઇ વડીયા, ફીરોજભાઇ લાખવા વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.(૮.૧પ)

(3:40 pm IST)