Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કેવડાવાડીમાં વણિક મહિલા અલ્કાબેન શાહનો ચોથા માળેથી પડતું મુકી આપઘાત

માનસિક બિમારીથી કંટાળીને પગલું ભર્યુઃ ત્રણ દિકરી મા વિહોણીઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૮: કેવડાવાડીમાં રહેતાં વણિક મહિલાએ એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુકી જિંદગી ટુંકાવી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ કેવડાવાડી મેઇન રોડ પર વૃંદાવન એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં અલ્કાબેન ભરતભાઇ શાહ (ઉ.૫૦) નામના વણિક મહિલાએ ગઇકાલે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે ચોથા માળેથી પડતું મુકતાં માથા-પગમાં ગંભીર ઇજાઓ થતાં વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન સાંજે તેમનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલમાંથી રમેશભાઇ ચોૈધરીએ ભકિતનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અલ્કાબેનના પતિ સાડીની દૂકાનમાં કામ કરે છે, તેને પણ હાલમાં બિમારી લાગુ પડી છે. સંતાનમાં ત્રણ દિકરીઓ છે. અલ્કાબેને માનસિક બિમારીથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું છે. (૧૪.૬)

(2:23 pm IST)