Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રાજકોટ નાગરીક હિત રક્ષક સમિતિની રચના

રાજકોટઃ નાગરીકોના અધિકારો અને હિતોના રક્ષણ માટે બિનરાજકીય સંગઠન રાજકોટ નાગરીક હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત ગઈકાલે હેમુગઢવી હોલ ખાતે યોજાએલ કાર્યક્રમમાં રાજભા ઝાલા, ઈન્દ્રનિલભાઈ રાજયગુરૂ, હસુભાઈ ભગદેવ, અનશ મૌલાના સાહેબ, તખુભા રાઠોડ, શિવલાલભાઈ બારસીયા વિ.ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ નાગરિક હિત રક્ષક સમિતિના અભિષેક તાળા, નૈમિષ પાટડીયા, અજિત લોખિલ, અંકુર ગજજર, હરપાલસિંહ ગોહિલ, પરેશ શીંગાળા, સમીર પટેલ (સી.એ.), દિગ્વીજયસિંહ ચુડાસમા, મહેન્દ્રભાઈ રાઠોડ, રાજેશભાઈ પોપટ, મેહુલભાઈ નથવાણી, જયરાજસિંહ જાડેજા, પુષ્પદીપસિંહ જાડેજા, હાર્દિક નડીયાપરા, રાકેશ પટેલ, રાજેશ પાનસુરીયા, મોહિત કથ્રેચા, સરફરાજ ચાનિયા, હેમંત વિરડા, મનોજ શિંગાળા, હિતેષ ટાંક વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમિતિમાં જોડાવવા તથા વિસ્તૃત માહિતી માટે મો.૭૨૨૬૮ ૮૩૬૩૬ ઉપર સંપર્ક સાધવા સમિતિની અખબાર યાદીમાં જણાવ્યું છે.

(3:46 pm IST)