Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પેરેલિસીસથી કંટાળી જસદણના રમેશભાઇ કોળીનો આપઘાત

રાજકોટ તા. ૧૮: જસદણના વાસુરપરામાં રહેતાં રમેશભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.૫૫) નામના કોળી પ્રોૈઢે ગઇકાલે સવારે ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું.

આપઘાત કરનાર રમેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. તેના પુત્રના કહેવા મુજબ પિતા ત્રણ વર્ષથી પેરેલિસીસગ્રસ્ત હતાં. આ કારણે કંટાળીને તેણે આ પગલું ભર્યુ હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:26 pm IST)