Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજકોટ રેન્જના નવનિયુકત ડીઆઇજી સંદીપસિંઘ આજે સાંજે ચાર્જ સંભાળશે

રાજકોટ, તા., ૧૮: રાજકોટ રેન્જમાં ૪પમાં વડા તરીકે નિયુકત થયેલ ડીઆઇજી સંદીપસિંઘ આજે સાંજે ચાર્જ સંભાળનાર હોવાનું જાણવા મળેલ છે.

તાજેતરમાં રાજય સરકાર દ્વારા રાજયના આઇપીએસ અધિકારીઓની કરાયેેલ સામુહીક બદલીઓમાં ભરૂચના એસપી સંદીપસિંઘને ડીઆઇજી તરીકે બઢતી આપી રાજકોટ રેન્જમાં મુકવામાં આવ્યા હતા. જયારે રાજકોટ રેન્જના આઇજી ડી.એન.પટેલને સુરતમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે નિયુકતી અપાઇ હતી.

રાજકોટ રેન્જના વડા તરીકે નિયુકત   થયેલ સંદીપસિંઘ આજે સાંજે ચાર્જ સંભાળશે.   ઉત્તરપ્રદેશના વતની અને ર૦૦૪ ની બેચના આઇપીએસ અધિકારી સંદીપસિંઘ અગાઉ ભરૂચ તથા અમદાવાદ રૂરલમાં  એસપી તરીકે પ્રસંશનીય ફરજ બજાવી હતી. રાજયના પોલીસ બેડામાં સંદીપસિંઘની કર્તવ્યનીષ્ઠ અધિકારી તરીકે ગણના થાય છે. (૪.૧૨)

(4:18 pm IST)