Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજકોટ બાર એસો,ના દિગજ્જ ધારાશાસ્ત્રી મનુભાઈ શાહનું 94 વર્ષની વયે નિધન

જિલ્લાના સૌથી વધુ વર્ષ મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મનુભાઈ શાહએ સૌરાષ્ટ્ર યુનિ,થી લઈને અનેક સંસ્થાઓમાં કાનૂની સેવા આપી હતી

રાજકોટ:  રાજકોટ બાર એસો,ના દિગજ્જ ધારાશાસ્ત્રી મનુભાઈ શાહનું 94 વર્ષની વયે આજે દુઃખદ નિધન  થયું છે સ્વ. મનુભાઈ શાહએ રાજકોટ જિલ્લાના સૌથી વધુ વર્ષ મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવેલ હતી અને સૌથી વધુ જુનિયર વકીલ આપનાર મનુભાઈ શાહ  સરકારી લો કોલેજ માં પોતાની સેવા આપનાર ગુજરાતના એક બાહોશ ધારાશાસ્ત્રી હતા વિશેષ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી લઇ અનેક સંસ્થાઓમાં ઉત્કૃષ્ટ કાનૂની સેવા આપી હતી  મનુભાઈ શાહ સાહેબ રાજકોટના જાહેર જીવન માં મોભાનું સ્થાન ધરાવતા હતા

(8:50 pm IST)