Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભારતવર્ષના જે.સી.જે.ટી.એફ. ના ગર્વનર જનરલ પદ પર ચંદ્રકાંતભાઈ શેઠની નિયુકિત

રાજકોટ,તા.૧૮: ગોંડલ ગચ્છના પરમ જ્ઞાનાવતાર, નિદ્રાવિજેતા આચાર્યદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી સ્વામીની પાટાનુપાટ જશ- ઉત્ત્।મ-પ્રાણ પરિવાર નાં સંત- સતીજી નાં અસીમ કૃપાપાત્ર અને પૂ. ત્રિભોવનજી મહારાજ સાહેબનાં સંસાર પક્ષે પ્રપૌત્ર, ગોંડલનિવાસી પુણ્યવંત સુશ્રાવકવર્ય માણેકચંદ ડાયાલાલ શેઠ તથા પુણ્યવાન તપસ્વી રત્ના ભદ્રામાતા સમ વિજયાબેન માણેકચંદ શેઠ ના સુપુત્ર વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંતભાઈ માણેકચંદ શેઠ (સી.એમ. શેઠ) ની જીતો (JITO), જીઓ(JIO), શ્રમણ આરોગ્યમ્ , જૈન સિવિલ એન્ડ જયુડિસિયલ ટ્રેનિંગ ફાઉન્ડેશન (JCJTF) ના પ્રેરણાદાતા પૂજય મુનિ શ્રી નયપદ્મસાગરજી મહારાજ સાહેબ દ્વારા દ્યોષણા કરવામાં આવી છે કે જે.સી.જે.ટી.એફ. ના ભારતવર્ષના ગર્વનર જનરલ પદ પર ચંદ્રકાંતભાઈ શેઠ (સી.એમ. શેઠ) ની નિયુકિત કરવામાં આવેલ છે. સેોરાષ્ટ્ર -કચ્છમાં જીઓ નાં ચેરમેન પદે સી.એમ.શેઠ વર્ષોથી કાર્યરત રહી જિનશાસનની અમૂલ્ય સેવા કરી રહ્યા છે. અનેક સંપ્રદાયના અનેક સંત-સંતીજી ને શાતા સમાધિભાવમાં નિમિત્ત્। બન્યા છે.

તા.૧૬ નાં શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંદ્ય નાં આંગણે પ્રાણપરિવાર નાં તપસ્વી રત્ના પૂજય શ્રી વનિતાબાઈ મહાસતીજી આદિ સતીવૃંદ નાં સુમંગલ સાનિધ્યમાં યોજાયેલ વિહાર શુભેચ્છા સમારોહ મધ્યે અનેક સંદ્ય નાં ગણમાન્ય પદાધિકારીગણ અને ડુંગર હીર મહિલા મંડળનાં પદાધિકારી બહેનો ની ઉપસ્થિતિ માં જીઓ(JIO) સંચાલિત જે.સી.જે.ટી.એફ. ના ગર્વનર જનરલ પદ પર ચંદ્રકાંતભાઈ શેઠ (સી.એમ. શેઠ) ની નિયુકિત બદલ સર્વ એ અભિનંદન પાઠવ્યા અને સન્માન કરવામાં આવ્યું.

ચંદ્રકાંતભાઈ શેઠે જણાવેલ કે પૂજય મુનિ શ્રી નયપદ્મસાગરજી મહારાજ સાહેબનાં મારા પ્રત્યેનાં વાત્સલ્યભાવ અને મારા પર મૂકેલ જિનશાસનની સર્વોન્નતિનાં વિશ્વાસ માટે તેમનાં પ્રત્યે ઉપકારભાવ વ્યકત કરૃં છું. દેવ-ગુરુ-ધર્મ ની કૃપા અને માતા-પિતા આશિર્વાદ તેમજ ચતુર્વિધ સંઘની હ્રદય સ્પર્શી લાગણી જ મારાં જીવનની અમૂલ્ય મૂડી છે. તેમ શેઠ ઉપાશ્રય નાં વાઈસ પ્રેસિડેન્ટ શૈલેષભાઈ માંઉ ની યાદીમાં જણાવેલ છે.

(4:29 pm IST)