Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વોર્ડ નં.૧૪ ના આનંદનગર વિસ્તારમાં છેલ્લા ૩-૪ દિ'થી ગંદા પાણીની રેલમછેલ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૪ ના આનંદનગર વિસ્તારમાં આવેલ અમૃત પાર્કમાં છેલ્લા ૩ થી ૪ દિવસ ભુગર્ભગટર છલકાવાના કારણે રસ્તા ઉપર ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે.આ સમસ્યા ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કોર્પોરેશનના સંબધિત વિભાગમાં અવાર-નવાર રજુઆત કરવા છતા પરિસ્થિતી જૈસે થે જોવા મળી રહી છે લોકોમાં રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે આ અંગે વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની સીઝન હોય ત્યારે આ પ્રશ્ન તાકીદે હલ કરવા મંગ કરવામાં આવી છે.

(3:42 pm IST)