Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રેસકોર્ષ-૨ અટલ સરોવરનું ૮૮ ટકા કામ પૂર્ણ

ચાર્જ સંભાળતા જ નવનિયુકત મેયર બીનાબેન, ડે.મેયર અશ્વિનભાઇ, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇની ટીમ કાર્યરતઃ યોજનાઓની સમીક્ષા

રાજકોટ તા. ૧૮ : નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ સહિતના પદાધિકારીઓની ટીમે ચાર્જ સંભાળતાની સાથે જ ઝડપી કામગીરી માટે વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે જે અંતર્ગત રેસકોર્ષ-૨ ખાતેનાં અટલ સરોવરના નિર્માણ કાર્યની સ્થળ મુલાકાત લઇ હાલમાં આ તળાવનું ૮૮ ટકા કામ પૂર્ણ થઇ ગયું હોઇ તે વહેલી તકે પૂર્ણ કરવા જરૂરી સુચનાઓ આપી હતી.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડની યાદીમાં જણાવાયા મુજબ રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ૧લીમે થી ૩૧ મે સુધી સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ લોક ભાગીદારીથી તળાવોને ઊંડા કરવા માટેની કામગીરી શુભારંભ કરવામાં આવેલ છે, આ અભિયાન હેઠળ  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાંદરડા રેસકોર્સ-૨ ખાતે અટલ સરોવર ઊંડા ઉતારવાની કામગીરી તેમજ આજીનદી શુદ્ઘિકરણની કામગીરી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૩૧ મે થી  જયાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ચાલુ છે.

તે અંતર્ગત રૈયા વિસ્તારમાં સ્માર્ટસિટી મિશન એરિયામાં રેસકોર્સ-૨ ને લાગુ 'અટલ સરોવર'ની કામગીરી ચાલુ છે. જેની સ્થળ મુલાકાત મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પુર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કશ્યપભાઈ શુકલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સાશક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડેપ્યુટી કમિશનર જાડેજા, એડી. સિટી એન્જીનીયર ભાવેશભાઈ જોષી, વિગેર ઉપસ્થિત રહેલ.

અંતમાં શ્રી કાનગડે જણાવેલ કે, અટલ સરોવર ૩,૬૨,૨૨૫ ઘન મીટર ઊંડું ઉતારવાનો ટાર્ગેટ નક્કી કરેલ છે. જેની સામે ૩,૨૨,૫૦૭ ઘન મીટર કામગીરી એટલે કે ૮૮%થી વધુ કામગીરી પૂર્ણ થયેલ છે. ટાર્ગેટ મુજબ કામગીરી વહેલી તકે પુરી કરવા સુચના આપેલ હતી.

(3:57 pm IST)