Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

નંદનવન સોસાયટીમાં ૧૪ લાખના ખર્ચે રી-કાર્પેટ

 શહેર વોર્ડ નં.૯ ના ન્યુ નંદનવન સોસાયટીમાં ૧૪ લાખના ખર્ચે રી-કાર્પેટ પેવર કામનો પ્રારંભ કરાવાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમે પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા, મહામંત્રી આશીષ ભટ્ટ, કમલેશ શર્મા, શહેર ભાજપ મહીલા મોરચાના મંત્રી દક્ષાબેન વસાણી, શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી કુલદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં આ કામનું ખાતમુહર્તુ કરાવવામાં આવેલ તે સમયે સ્થાનીક અગ્રણીઓ પ્રવિણભાઇ મારૂ, જીતુભાઇ કાટોળીયા, મનીષભાઇ પટેલ, જાગૃતિબેન ભાણવડીયા, આરતીબેન શાહ, જગદીશભાઇ પટેલ, રામજીભાઇ બેરા, ભાવેશભાઇ વ્યાસ, અતુલ જગતીયા, કોશીયાભાઇ વગેરે તેમજ કાનાભાઇ ભરવાડ, ભરતભાઇ ભાલોડીયા, રાજયગુરૂભાઇ, ગોહેલભાઇ, જેઠવાભાઇ, અંબાલાલ પટેલ, સામતભાઇ કડછા, કેતનભાઇ ગોસ્વામી, બીરજુભાઇ પટેલ, કૌશિકભાઇ ઉનડકટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૩)

(3:55 pm IST)