Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ગોવિંદનગરમાં સિધ્ધાર્થ મેતા (આહિર) પર વિશાલ કાનગડ, નામચીન યશ સહિત ૭ શખ્સોનો તલવાર-ધોકા-કુહાડીથી હુમલોઃ જુનું મનદુઃખ કારણભુતઃ વચ્ચે પડનારને પણ ઇજા

રાજકોટઃ જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણ ચોકમાં રહેતાં સિધ્ધાર્થ ઉર્ફ તુષાર ભાનુભાઇ મેતા (ઉ.૨૧) નામના આહિર યુવાન પર તે રાત્રે ગોવિંદનગર મેઇન રોડ સૂર્યોદય સોસાયટી પાસે ક્રિષ્ના પાન નજીક ઉભો હતો ત્યારે વિશાલ પાંચભાઇ કાનગડ (આહિર), પાંચાભાઇ કાનગડ, યશ વલકુભાઇ આહિર અને ત્રણ  અજાણ્યા શખ્સોએ મળી તલવાર, કુહાડીથી હુમલો કરી ઇજા કરતાં અને વચ્ચે છોડાવવા આવેલા પ્રકાશભાઇ રાજભાઇ હુંબલને પણ ઇજા કરતાં સારવાર લેવી પડી હતી.

સિધ્ધાર્થ ઉર્ફ તુષારના કહેવા મુજબ  તેને બે દિવસ પહેલા વિશાલ સાથે ઝઘડો થયો હતો ત્યારે તેણે મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઝઘડાનું સમાધાન કરવા ગત રાત્રે પોતાને તથા મિત્ર રણજીત ભીખુભાઇ ચાવડા અને પ્રકાશ રાજભાઇ હુંબલને ફોન કરીને બોલાવાતાં ત્રણેય ગોવિંદનગર રોડ પર ગયા હતાં ત્યારે વિશાલ, તેના પિતા પાંચાભાઇ, નામચીન યશ તથા ત્રણ અજાણ્યાએ ઝઘડો કરી તલવાર-ધોકા-કુહાડાથી હુમલો કરી દીધો હતો. 

(10:45 am IST)