Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પ્રથમ વખત ભાજપ - કોંગ્રેસ - આપ વચ્‍ચે બોલશે તડાપીટ

કાલે મનપાની સામાન્‍ય સભા : કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા કોમલબેન ભારાઇના ખાનગી શાળા, કોલેજોના ટેક્‍સ, પ્‍લાન, પાર્કિંગ સહિતના પ્રશ્નો પ્રથમ ક્રમાંકે ભાજપના ૧૧ કોર્પોરેટરોએ ૨૨ પ્રશ્નો અને કોંગ્રેસના ૨ કોર્પોરેટરોએ ૬ પ્રશ્ન તથા અન્‍ય ૨ સભ્‍યોના ૪ પ્રશ્નની થશે ચર્ચા : નામકરણ સહિત ૯ દરખાસ્‍તો

રાજકોટ તા. ૧૮: આવતીકાલે તા. ૧૯ના રોજ મનપાનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ બોર્ડમાં વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર અને કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ કોમલબેન ભારાઇના પ્રશ્ન જનરલ બોર્ડનો પ્રારંભ થશે.

આવતીકાલે મળનાર બોર્ડમાં ભાજપના ૧૧ કોર્પોરેટરોએ ૨૨ પ્રશ્નો અને કોંગ્રેસના ૨ કોર્પોરેટરોએ ૬ પ્રશ્ન તથા અન્‍ય ૨ સભ્‍યોના ૪ પ્રશ્નો સહિત કુલ ૩૨ પ્રશ્નો રજુ કરવામાં આવ્‍યા છે.

આ બોર્ડમાં પ્રથમ કોમલબેનએ પૂછેલા ખાનગી શાળા કોલેજમાં ટેકસ, પ્‍લાન અંગેના પ્રશ્નની ચર્ચાની શરૂઆત થશે.

જયારે બીજા ક્રમાંકે અશ્વિન પાંભરનો મનપા હસ્‍તકના અર્બન હેલ્‍થ સેન્‍ટરોનો છેલ્લા ૬ માસમાં કેટલા શહેરીજનોએ લાભ લીધો છે...?

આ ઉપરાંત વોર્ડ નં. રના કોર્પોરેટર  મનીષ રાડીયાએ મનપા હસ્‍તક આધાર કાર્ડની કુલ કેટલા કીટ કાર્યરત છે...? કયાં કયાં સ્‍થળે હાલ કેટલી કીટ છે...? લોકોની સુવિધા માટે નવી કીટ વસાવવા માટેનું શું આયોજન છે ? તેમજ રેસકોર્સ સ્‍પોર્ટસ સંકુલમાં જુદી જુદી રમતોના કુલ કેટલા સભ્‍યો છે ? એથ્‍લેટિક ગ્રાઉન્‍ડના ઉપયોગનો સમય શું છે ? એ પ્રશ્ન રજૂ કર્યો છે.જયારે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ તથા વોર્ડ નં. ૧પના કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્‍સુન કામગીરીની વિગતો આપવી તેમજ પ્રિમોન્‍સુન એકશન પ્‍લાનની સંપૂર્ણ માહિતી આપવી તથા ડયુરીંગ મોન્‍સુન અને આફટર મોન્‍સુન પ્‍લાનની વિગતો, આયોજનની સવિસ્‍તૃત માહિતગાર કરવા (૦ર) કોરોના મહામારી અન્‍વયે કરવામાં આવેલ કામગીરીની વિગતો આપવી તેમજ હાલમાં કોરોના મહામારીના કેસ આવી રહ્યા છે ત્‍યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતો, મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલી વખત પાણીકાપ કરવામાં આવ્‍યો છે ? અને કયાં કારણે ? તથા શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં ગેરંટીવાળા કેટલા રોડ બનાવવામાં આવ્‍યા સહિતના પ્રશ્નો પુછવામાં આવ્‍યા છે.

૯ દરખાસ્‍તો

કાલે મળનાર આગામી જનરલ બોર્ડમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ, વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં.૧૪૯ પૈકીની જમીનમાં નીમ કરવા, શહેરના વોર્ડ નં.૦૭ માં વિજય પ્‍લોટ શેરી નં.૧૨ માં આવેલ જાહેર યુરિનલ દુર કરવા, વોર્ડ નં. રના વોર્ડ નં.૦૭ માં પ્રહલાદ પ્‍લોટ શેરી નં .૨૧ ના ખુણે આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરના વોર્ડ નં .૦૩ માં ભીચરીનાકા પાસે પમ્‍પીંગ સ્‍ટેશન સામે આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરના વોર્ડ નં.રમાં આવેલ મનુબેન ઢેબરભાઇ સેનેટોરિયમના જુના બિલ્‍ડીંગનો ઇમલો પાડીને કાટમાળ લઇ જવાના તથા જમીનને સમથળ (લેવલ) કરવાના, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ રાજકોટના સર્વે નં .૨૧૮ પૈકીની જમીન સમસ્‍ત રાવળ સમાજને સ્‍મશાન / સમાધિ સ્‍થાન માટે ફાળવવા, વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ , વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં .૬ ની જમીન નીમ કરવા, શહેરના વોર્ડ નં .૦૧માં ગાંધીગ્રામ વિસ્‍તારમાં પુરુષાર્થ સ્‍કુલ , મોચીનગર હોલની બાજુમાં આવેલ ચોકને ‘ગુરુનાનક ચોક' નામકરણ કરવા તથા શહેરના વોર્ડ નં .૧૩ માં આનંદ બંગલા ચોક પાસે આવેલ મેંગો માર્કેટવાળા ચોકને ‘સ્‍વ.રતિભાઈ બોરીચા ચોક' નામકરણ કરવા સહિતની ૯ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.

(3:32 pm IST)