Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જૈનમ્‌ આયોજીત શ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવનાં દાતાઅીનું સન્‍માન

રાજકોટઃ જૈનમ્‌ એટલે જૈન ધર્મમાં માનનાર જેનો ઉદ્‌ેશ આવતી નવી  જનરેશનને એક સુદ્દઢ અને સંકલીત સમાજની ભેંટ આપવી આવા ઉમદા વિચાર સાથે કાર્યરત જૈનમ દ્વારા રાજકોટનાં સમગ્ર જૈન સમાજ સાથે રાખી શ્રમણ ભગવાનશ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવનાં દાતાઓનું સન્‍માન કરવામાં આવેલ હતું આ તકે મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘનાં પ્રમુખશ્રી ડોલરભાઇ કોઠારીએ ઉજવણીને બિરદાવેલ હતી. અજરામર સંઘનાં પ્રમુખશ્રી મધુભાઇ ખંદ્યારએ જણાવેલ કે ચારેય ફીરકાઓને સાથે લઇ ઉજવણી કરતો આ મહોત્‍સવની નોંધ સમગ્ર ભારતનાં જૈન  સમાજ લઇ રહ્યા છે. સોનમ કવાર્ડઝનાં ચેરમેનશ્રી જયેશભાઇ શાહએ જણાવેલ કે જૈનોની એકતા માટે વધુ ને વધુ આવા કાર્યક્રમો સાથે મળીને કરવા જોઇએ તેમજ આ ઉજવણીમાં ભગવાનનાં રથમાં બેસવાનો લાભ અમારા પરિવારને આપેલ તે બદલ આભારની લાગણી વ્‍યકત કરેલી હતી. જીવદયા પ્રેમી જીતુભાઇ વસાએ ઉજવણીને  બિરદાવેલ આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન હિતેશભાઇ શાહએ અને આભારવિધિ અશોકભાઇ વોરાએ કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન જયેશભાઇ મહેતાએ કરેલ હતું.

(3:19 pm IST)