Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ખુનના ગુનામાં પકડાયેલ આરોપીના વચગાળાના જામીન મંજૂર

દાદાની મરણોતર ક્રિયામાં હાજરી આપવા

રાજકોટ,તા. ૧૮: ખૂનના ગુનામાં ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરેલ આરોપીના દાદાનું અવસાન થઈ જતા આરોપીએ કરેલ વચગાળાની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે.

આ કેસની હકીકત મુજબ ગાંધીગ્રામ પોલીસે ખૂનના ગુનામાં આરોપી અર્જુનસિંહ શંત્રુગ્નસિંહ ચૌહાણની ધરપકડ કરી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ હતો.તા.૩૦/૦૪/૨૨ ના રોજ આરોપીના દાદા પ્રતાપસિંહ ચૌહાણનું અવસાન થતાં તેઓની ઉત્ત્રક્રિયા માટે આરોપીએ વચગાળાની જામીન અરજી કરતા કોર્ટમાં આરોપી તરફે રજૂઆત કરવા આવેલ કે અગાઉ હાઇકોર્ટ દ્વારા વચગાળાના જામીન મળેલા છે અને તેઓએ કોઈ શરતોનું ભંગ કરેલ નથી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને વચગાળાના જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલો હતો.

આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીતેન્દ્રસિંહ વી.પરમાર, ચિરાગ પી. મેતા, વિજયભાઈ જોષી, ઈકબાલ થૈયમ તથા એચ.એમ ડાભી રોકાયેલ હતા.

(3:15 pm IST)