Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગાંધીગ્રામના અડધા વિસ્તારોમાં ગઇકાલ રાતથી વિજ પુરવઠો ગુલ!

રાજકોટ : ગાંધીગ્રામના એરપોર્ટની દિવાલ પાસે ગોવિંદનગર, સત્યનારાયણનગર, જીવંતીકાપરા, અક્ષરનગર, ગાંધીનગર, ગાંધીગ્રામ તથા જીવંતીકાનગર સહિતના વિસ્તારોમાં ગઇકાલ રાતથી વાવાઝોડાના પગલે વિજ પુરવઠો ગુલ થઇ ગયો છે. જે આજે બપોરે ર વાગ્યા સુધી કાર્યરત થયો નથી. જીઇબીનો સ્ટાફ વિજ પુરવઠો ચાલુ કરવા સવારથી ધંધે લાગ્યો છે.

(3:58 pm IST)