Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

અમીન માર્ગ પર સ્પા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરનાર સંચાલક વત્સલ મુંગપરા સામે કાર્યવાહી

રાજકોટ, તા.૧૮: કોરોના મહામારી અંતર્ગત મીની લોકડાઉનમાં અમીન માર્ગ પર સ્પા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરનારા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ કોરોના વાયરસનાં વધતા સંક્રમણને અટકાવવા માટે સરકારની માર્ગદર્શીકા અંતર્ગત શહેરમાં મીની લોકડાઉન અંગેનું શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ હોઇ તે અંતર્ગત ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ, હીતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અમીન માર્ગ પર એન.એન.સી. હાઉસમાં પહેલા માળે આવેલ ન્યુ પેરેડાઇઝ સ્પા ખુલ્લુ રાખી જાહેરનામાનો ભંગ કરનારા સંચાલક વત્સલ પરસોતમભાઇ મુંગલપરા (ઉ.વ.૨૮) (રહે.કણકોટ હાઉસીંગ બોર્ડ કવાટર બ્લોક નં.૧૧૧)ને પકડી કાર્યવાહી કરી હતી.

(3:14 pm IST)