Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હસનશાહ પીરની દરગાહમાં વડલો ધરાશાયી

રાજકોટઃ શહેરમાં રવિવારે રાત્રે શરૂ થયેલ વાવાઝોડાની અસર પછી વિજ પુરવઠો ખોરવાઇ જતા અંધારપટ છવાઇ ગયો હતો ત્યારે જ કોઠારીયા રોડ ઉપર આવેલ ગોકુલનગર સ્થિત હઝરત હસનશાહ પીર દરગાહના સંકૂલમાં દિવાલની બરોબર અડીને આવેલ અંદાજે સવાસો વર્ષ જુનો તોતીંગ વડલો ધરાશાયી થઇ ગયો હતો. જો કે એ સમયે દરગાહના મેદાનમાં કોઇ હતું નહિં પરંતુ દરગાહમાં ઉજવાતા ઉર્ષ સહિતના વિવિધ પ્રસંગોએ જમણવારની રસોઇ કરવા માટે બનાવવામાં આવેલ રસોડાના વિભાગ ઉપર જ વડલો પડતા તે સંપૂર્ણ તુટી ગયો હતો. બીજી તરફ દરગાહ બહાર જબરો ચોક આવેલ છે જે આખો દિવસ ધમધમતો વિસ્તાર છે એ બહારની તરફ પણ વડલો ધરાશાયી નહીં થઇ અંદર મેદાનમાં ઝુકી પડતા એક ચમત્કારીક રીતે કોઇ વધુ નુકશાન થવા પામેલ ન હતું.

(3:06 pm IST)