Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

વોર્ડ નં.૧૦ના રાવલનગર, અમૃતા સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉકેલોઃ કોંગ્રેસ

કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા દ્વારા રજુઆત

રાજકોટ,તા.૧૮: વોર્ડ નં.૧૦માં ૧૫૦ફુટ રોડ પરના રાવલનગર, અમૃતા સોસાયટી,સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર ના વાસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી શેરીઓમાં ભરાયા બાદ લોકોના ઘરમાં ઘુસી જાય છે.જેથી અહીંના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો દ્વારા આ પ્રશ્ને વારંવાર રજુઆત કરેલ છે.ગતવર્ષે ચાલુ વરસાદે લગત ઈજનેરોને રુબરૃ બોલાવી પરિસ્થિતિનો ચિતાર આપેલ.આ સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામનો અમૃત યોજનામાં સમાંવેશ થયાનુ પણ જાણવા મળેલ, પરંતુ કોઇ કારણ સર કાર્યવાહી આગળ વધતી નથી. તેમ કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ આક્ષેપ કર્યો હતો. આ સમસ્યાને તાકિદે ઉકેલ લાવવા મનસુખભાઇ કાલરીયાએ રજુઆત કરી છે.

(4:32 pm IST)