Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ભરણપોષણ કેસમાં પરિણિતાને વચગાળાની ખોરાકી અપાવતી કોર્ટ

રાજકોટ તા.૧૮: ભરણ પોષણની અરજીમાં કેસ શરૂ થયા પહેલી પરણીતાને વચગાળાનું ભરણ પોષણ ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રેલનગર વિસ્તારમાં રહેતી પરણીતા શ્રેયાબેનના લગ્ન રાજકોટ ખાતેજ તીરૂપતી સોસાયટી બ્રહ્મ સમાજ પાસે રહેતા ગૌરવ ભાઇ મુકેશભાઇ નીમાવત સાથે સને ૨૦૧૮ની સાલમા થયેલ હતા અને પછી પતી પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા પોતાના પીયરે પરત ફરેલ હતી અને તેની પાસે કોઇ આવકનું સાધન ન હોઇ તેણે અરજદાર બની ફેમીલી કોર્ટમાંથી પતી પાસેથી ભરણ પોષણની રકમની માંગ કરતી અરજી કરેલ હતી અને મુળ અરજી સાથે કેસ શરૂ થયા પહેલા પતી પાસેથી વચગાળામા ભરણ પોષણની માંગ કરતી અરજી પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે કરેલ હતી.ઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગ

આ વચગાળાની અરજી ચાલવા પર આવતા પરણીતાના વકીલ શ્રી અંતાણી એ વિગતવાર દલીલો રજુ કરેલ હતી અને આ તમામ દલીલોથી સહમત થઇ અને અદાલતે પત્નીને કેસ ચાલે તે સમય દરમ્યાન વચગાળામાં અરજીની દાખલ તારીખથી એટલે કે તા.૧-૧૦-૧૮થી માસીક ૩૦૦૦ ત્રણ હજાર પુરા ભરણ પોષણ પેટે ચુકવવાનો હુકમ કરેલ છે અને કેસની નવી તારીખ મુકરર કરેલ છે અને આ રકમ અરજીની તારીખથી મળતા અરજદાર કેસ ચાલુ થયા પહેલા પતી પાસેથી ૨૧૦૦૦ એકવીસ હજારની ભરણ પોષણની રકમ વસુલવા હકકદાર બનેલ છે.

ઉપરોકત કેસમાં પરણીતા શ્રેયાબેન વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદીપ કે.અંતાણી, તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:32 pm IST)