Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

આજે નરસિંહ મહેતા જયંતિઃ પુષ્પવંદનાઃ વૈષ્ણવજનનું ગાન

રાજકોટઃ આદ્યકવિ, સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાની ૬૧૧મી જન્મજયંતી પરંપરાગત રીતે હાટકેશજન રાજકોટ દ્વારા- મહાનગરપાલિકા નિમિતે રામકૃષ્ણનગર સ્થિત મહેતાજીની કાંસ્ય પ્રતિમાને પુષ્પવંદના અર્પણ કરી ઉજવવામાં આવી હતી. વિશ્વ પ્રસિધ્ધ ''વૈષ્ણવજન''નું સમુહગાન સૌએ કરી મહેતાજીની સમદ્રષ્ટિની ભાવનાનું તર્પણ કર્યુ હતું.આ પ્રસંગે હાર્ટકેશજનના સંયોજનક રાજીવ વછરાજાની, અભય ઢેબર, કમલેશ ઝાલા, અશોક પોટા, જવલંત છાયાં, ભાસ્કર ભટ્ટ, મકરંદ વોરા, અક્ષય વસાવડા, રાજેશ્વરી રાજીવ, નિધી ધોળકીયા, રક્ષા પોટા, ભરતભાઈ આચાર્ય, તોરલ રીંડાણી, દેવાંશુ દેસાઈ, અજય આચાર્ય, મહેશ છાયાં, ગિરા મહેતા, ઉપેન્દ્ર માંકડ, દેવ્યાની માંકડ, સમર્થ મહેતા, હિમાંશુ રાણા, મનહરભાઈ વૈષ્ણવ, મુકેશ માંકડ, રાજુ કિકાણી, કૃતિ કિકાણી, યાત્રી કિકાણી, રાજુ માંકડ, વિરંચી બુચ, રીના માંકડ, વંદનાબેન બુચ, દિયા માંકડ, સુહંત મહેતા, દેવાંગ માંકડ, તુલન વૈશ્નવ, ઉત્કલ વૈશ્નવ, અપૂર્વ જોશીપુરા, જે.ડી.બુચ, બાલેન્દ્ર મહેતા, વિનય બુચ, સમીર વસાવડા ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)