Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સેન્ટ મેરીઝ સ્કૂલના મેનેજર ફાધર જ્યોર્જ નેટ્ટીકાટનું નિધન: રવિવારે બપોરે પ્રેમમંદિરમાં પ્રાર્થના સભા અને દફનવિધિ

પ્રેમમંદિર,ક્રાઈસ્ટ હોસ્પિટલ,ક્રાઈસ્ટ કોલેજ સહીત અનેક સંસ્થા સાથે સંકળાયેલ :44 વર્ષ સૌરાષ્ટ્રમાં સેવા આપેલ

રાજકોટ ;સેન્ટ મેરીઝ સ્કૂલના મેનેજર ફાધર જ્યોર્જ નેટ્ટીકાટનુંદુઃખદ અવસાન થયું છે કર્મઠ, કર્તવ્યનિષ્ઠ,માનવ સેવામાં અગ્રેસર,અને પ્રેમાળ સ્વભાવના  ફાધર જ્યોર્જ નેટ્ટીકાટએ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

   ફાધર જ્યોર્જ નેટ્ટીકાટ પ્રેમમંદિર,ક્રાઈસ્ટ હોસ્પિટલ,ક્રાઈસ્ટ કોલેજ સહીત રાજકોટ ધર્મપ્રાંતની અનેક સંસ્થા સાથે સંકળાયેલ હતા અને મહામૂલું યોગદાન આપ્યું હતું  છેલ્લા 44 વર્ષ તેઓએ સૌરાષ્ટ્રની જનતાની સેવા આપી હતી

   વર્ષ 1946માં જન્મેલ ફાધર જ્યોર્જ નેટ્ટીકાટએ 1974માં પુરોહિત દીક્ષા લીધી હતી તા,19ને રવિવારે બપોરે 3 વાગ્યે પ્રેમમંદિર ખાતે  ફાધર જ્યોર્જ નેટ્ટીકાની પ્રાર્થના સભા અને દફનવિધિ રાખેલ છે

    ફાધર જ્યોર્જ નેટ્ટીકાટ નાંદુસ્ત તબિયતને કારણે છેલ્લા પાંચેક દિવસથી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેઓ વેન્ટિલેટર પર હતા જ્યાં તબીબો તેઓની સારવાર માટે જહેમત ઉઠાવી રહ્યાં હતા શુક્રવારે તેઓએ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા 

(9:01 am IST)