Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રામકૃષ્ણ મિશનના વડા પૂ.ગૌતમાનંદજી મહારાજ સાંજે રાજકોટમાં : કાલે મેડીકલ સેન્ટર - ડેન્ટલ વિભાગનું ઉદ્દઘાટન

રવિવારે સંધ્યા આરતી - જાહેરસભા સંબોધન - મંત્રદીક્ષાના કાર્યક્રમો

રાજકોટ, તા.૧૮ : રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજ આજે સાંજે ૭ વાગ્યે રાજકોટ આવી રહ્યા છે. તેઓનો રાજકોટ શહેરમાં ત્રણ દિવસ મુકામ રહેશે.

આવતીકાલે તા.૧૯ના શનિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે વિવેકાનંદ મેડીકલ સેન્ટર અને ડેન્ટલ કિલનીકનું તેઓના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. જયારે તા.૨૦ના રવિવારે સાંજે સંધ્યાઆરતી બાદ વિવેક હોલ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. જયારે તા.૨૧ના સવારે નીજ મંદિરમાં મંત્રદીક્ષા કાર્યક્રમનું પણ આયોજન થયુ છે. તા.૨૦,૨૧ (રવિ-સોમ) મંત્રદીક્ષાના દિવસે મંદિર સવારે ૬ થી ૧૨ બંધ રહેશે. સ્વામી ગૌતમાનંદજી આજે સાંજે રાજકોટ આવી રહ્યા હોય ભાવિકોમાં ઉત્સાહ છવાયો છે.

(4:20 pm IST)