Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્ર આવશેઃ સોમવારે સ્વાભિમાન રેલી

રાજકોટ, તા.૧૮ : હિન્દુ રાજપૂત નેતા શ્રી સુખદેવસિંહ ગોગામેડીજી, રાષ્ટ્રીય મહાસચિવ શ્રી સુરજપાલ અમુ તેમજ કાર્યદક્ષ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી યોગેન્દ્રસિંહ કટાર, કોડીનાર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત જ્ઞાતિના ઝાલા પરિવારના કુળદેવી કનકેશ્વરી માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે યોજાનાર સ્વાભિમાન રેલી અને મહાસંમેલન તથા લોકડાયરામાં જ્ઞાતિબંધુઓના ઉમદા આગ્રહને લક્ષમાં રાખીને આવી રહ્યા છે ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ સંગઠનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા તેઓના આગમનને વધાવવા માટે તા.૨૧ના સોમવારે રોજ  સવારે ૯ કલાકે રાજકોટમાં માધાપર ચોકડીથી, કે.કે.વી સર્કલ સુધી રોડ શો તેમજ રેલી દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટથી કોડીનાર વચ્ચે આવતા તમામ ગામનાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તમામ ગામનાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા તેમના આગમનને વધાવવામાં આવશે. રાજપૂત સમાજના આ મહાનુભવો પોતાના સમાજ સાથે સોમનાથ મંદિરે શીશી નમાવી આર્શિવાદ લઈ કોડીનાર ખાતે પ્રસ્થાન કરશે.

કોડીનાર ખાતે યોજાનાર સ્વાભિમાન રેલી, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મહાસંમેલન તથા લોકડાયરામાં જોડાવવા સર્વેશ્રી ચંદુભા પરમાર, જોગેન્દ્રસિંહ ચંપાવત, જયદીપસિંહ ભાટ્ટી, અજીતસિંહ પરમાર, મૌલિકસિંહ  વાઢેર, હરદીપસિંહ રાઠોડ, યોગરાજસિંહ તલાટીયા, અનિલસિંહ પરમાર, ભાવસિંહ ઓરા, જગદીશસિંહ ચાવડા, હરદેવસિંહ ચાવડા, અશોકસિંહ પરમાર, કુલદીપસિંહ રાઠોડ, બિપીનસિંહ પરમાર, રામચંદ્રસિંહ શેખાવત, શકિતસિંહ સોનીગરા, તેજપલાસિંહ ચુંડાવત, મોહનસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, શૈલેન્દ્રસિંહ પરમાર, જયદીપસિંહ ડોડીયા, સહદેવસિંહ ભાટ્ટી, સહદેવસિંહ હેરમા, દિલીપસિંહ વાઢેર અને હર્ષિતભાઈ જાનીની યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:17 pm IST)