Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આઇશ્રી કુવાવાળી ખોડીયાર મંદીરે સર્વજ્ઞાતિય ૧૧ સમુહલગ્ન સંપન્ન

 રાજકોટઃ આઇશ્રી કુવાવાળી ખોડીયાર મંદીરે (શ્રી રામનાથ મહાદેવ મંદીર, લક્ષ્મીવાડી કર્વાટર) ખાતે તાજેતરમાં સર્વજ્ઞાતિય ૧૧ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા અનેક લોકોએ પ્રસાદ લીધેલ હતો તેમજ ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. કરીયાવરમાં દિકરીઓને ૨૧૧ આસપાસ ઘરવખરીની વસ્તુઓ આપવામાં આવી હતી. આ અવસરે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, મેયરશ્રી ડો. જૈમન ઉપાધ્યાય તથા મંદીરના મહંતશ્રી રાજરૂષી દિગંબર મહંત શ્રી રામપ્રસાદદાસજી તેમજ આઇશ્રી કુવાવાળી ખોડીયાર મિત્ર મંડળ, મહિલા ધુન મંડળ, નાનુ લાડકવાયુ મિત્ર મંડળ વગેેરે હાજર  રહયા હતા.

(4:08 pm IST)