Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સર્જન ફાઉન્ડેશનની સ્થાપનાઃ શનિવારે ચકલીના માળા-કુંડાનું વિતરણ

રાજકોટ : સેવાકીય સંસ્થા 'સર્જન ફાઉન્ડેશન' ટ્રસ્ટનો શુભારંભ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને લોકપ્રિય કોર્પોરેટર બીનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ સુરેશભાઇ પરમાર, સંસ્થાના ટ્રસ્ટીઓ અને શુભેચ્છકોની ઉપસ્થિતીમાં કરાયો હતો. સર્જન ફાઉન્ડેશનના માર્ગદર્શક અને શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ હતું કે, સર્જન ફાઉન્ડેશન સર્જન જ નહીં પણ નવસર્જન બની સમાજમાં રહેલ ગરીબ અને અશિક્ષિત બાળકોને શિક્ષણ આપી શિસ્તવાન બનાવશે. સર્જન ફાઉન્ડેશનના શુભેચ્છક અને નાગરીક બેંક રૈયા રોડ શાખા વિકાસ સમિતિના કન્વીનર કાળુમામાએ સૌને એક સંપથી કાર્ય કરી સરગમ કલબની સહયોગી સંસ્થા બની રહે તેવી શુભેચ્છા પાઠવેલ હતી. કાર્યક્રમના અંતે સર્જન ફાઉન્ડેશન તેમજ આગામી વર્ષ દરમ્યાન યોજાનારા કાર્યક્રમની વિગત પ્રમુખ સુરેશભાઇ પરમારે વર્ણવી હતી. સર્જન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓની યોજાઇ ગયેલ મીટીંગમાં ખાસ પધારેલ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, શિક્ષણ સમિતિના નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર બિનાબેન આચાર્ય, કાળુમામા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઇ પુજારા, ગુણવંતભાઇ ભટ્ટ, પિનાબેન કોટક, દિપકભાઇ મદલાણી, ગાંધીનગર સરકીટ હાઉસના મેનેજર બીમલભાઇ શુકલ વિગેરેએ સર્જન કલબના સર્વે ટ્રસ્ટીઓ તથા પ્રમુખ સુરેશભાઇ પરમાર તેમજ ટ્રસ્ટીઓ ધરાબેન, પ્રભાબેન, દિપાબેન, કંચનબેન, કિરણબેન, શિલ્પાબેન, વિણાબેન, દિવ્યાબેન તેમજ અમીતભાઇ, નાથાલાલ, પ્રકાશભાઇ હેમંતભાઇ, વિજયભાઇ વિગેરેને શુભેચ્છા પાઠવેલ હતી. તેમજ આ સંસ્થાના સભ્યો ડો. એમ. જે મેઘાણી, રક્ષાબેન બોળીયા, ગુણવંતભાઇ ભટ્ટ, અશ્વિનભાઇ પાંભર, છબીલભાઇ રાણપરા, કિશોરભાઇ ડોડીયા, અરૂણભાઇ નિર્મળ, દિપકભાઇ મદલાણી, પ્રદીપભાઇ મહેતા, મનોજભાઇ પટેલ, ઉમેશભાઇ શેઠ, રમાબેન હેરભા, ખ્યાતિબેન ભટ્ટ, પ્રકાશભાઇ ડોડીયા, નુતનભાઇ ભટ્ટ, બિંદીયાબેન અમલાણી, તૃપ્તીબેન ગજેરા, લીલાબા જાડેજા, સુરેશભાઇ ડોડીયા, પિનાબેન કોટક, હંસાબેન વાળા, દિપાબેન કાચા, કૌશિકભાઇ અઢીયા વિગેરે સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ સમગ્ર મીટીંગનું આયોજન પ્રમુખ સુરેશભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઇ વોરા તેમજ ધરાબેન વૈશ્નવે સંભાળ્યું હતું. અંતે આભારદર્શન કિરણબેન માંકડીયાએ કરેલ કાળઝાળ ગરમીમાં પંખીઓને સાતા આપવા માટે સર્જન ફાઉન્ડેશન દ્વારા તા. ૧૯ ને શનિવારે સાંજે ૬ કલાકે હનુમાન મઢી ચોક શાક માર્કેટ પાસે, રૈયા રોડ, ખાતે પાણીના કુંડા અને ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. જેનો પંખી પ્રેમી જનતાએ વિશેષ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:41 pm IST)