Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જાતિવાદને નાથવા ભાજપ કટીબદ્ધ : ધનસુખ ભંડેરી

રાજકોટ : અહિંના વોર્ડ નં. ૧૩ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન ઓમ શાંતિ ના અંજુ દીદી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગે લોકસભા ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે જણાવેલ કે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ કોમવાદ,જાતિવાદ,વંશવાદને નાથવા તેમ જ જળમૂળથી દૂર કરવા કટીબદ્ઘ રહેશે.સંબોધન નિતીન રામાણી, દિનેશભાઈ ચોળિયા તેમજ સ્વાગત પ્રવચન હસુભાઈ ચોવટીયા, તેમજ યોગેશભાઈ ભુવા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ સોલંકી પંકજભાઈ કોઠારી જનકભાઈ મહેતા નાગદાનભાઇ ગઢવી, મોહનભાઈ વાડોલીયા, જસુમતીબેન કોઠારી, ઈલાબા જાડેજા, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અતુલભાઇ પંડિત, યુવરાજસિંહ સરવૈયા, વિનુભાઈ પોપટ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજેન્દ્રસિંહ ગોહેલ, જયસુખભાઈ પરમાર, ધ્રેયભાઈ પારેખ મનીષભાઈ રાદીયા, દર્શિલાબેન શાહ, સોફિયા બેન દલ, જાયિદ દલ ,રાજુભાઈ માવતર,ભરત ભાઈ વીરડા,ભાવેશભાઈ ટોયટા, દીપાબેન કાચા,એજાજભાઈ બુખારી, દશરથભાઈ વાળા ગુલાબ સિંહ જાડેજા,પ્રિતેશભાઈ  પોપટ કૌશિક અઢિયા, રાજુભાઈ બારીયા સહિત  કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે.

(3:34 pm IST)