Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મારામારીમાં સંડોવાયેલા અજંતા પાર્કના મંથન સથવારાને પાસામાં ધકેલાયો

યુનિવર્સિટી પોલીસે વોરન્ટની બજવણી કરતાં વડોદરા જેલહવાલે

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક બ્લોક નં. ૨૭માં રહેતો મંથન મનોહરભાઇ સોનાગરા (સથવારા) (ઉ.૩૦) મારામારીના ગુનામાં સંડોચાઇ ચુકયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત યુનિવર્સિટી પોલીસે મુકતાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે દરખાસ્ત મંજુર કરી તેને વડોદરા જેલમાં ધકેલવા હુકમ કરતાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. બી. જે. કડછા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, કોન્સ. અમીનભાઇ, રવિરાજસિંહ, ગિરીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, લક્ષમણભાઇ સહિતે વોરન્ટની બજવણી કરી મંથનને વડોદરા જેલહવાલે કરવા કાર્યવાહી કરી હતી. પાસાની દરખાસ્ત હેડકોન્સ. બળભદ્રસિંહ, શૈલેષપરી અને ગિરીરાજસિંહે કરી હતી. (૧૪.૯)

(12:07 pm IST)