Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

જયપ્રકાશનગરના સંજય બાવાજીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૮: ભગવતીપરા જયપ્રકાશનગર-૮માં રહેતાં સંજય પ્રભુદાસભાઇ રાઠોડ (બાવાજી) (ઉ.૨૬)ને રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ગાયકવાડીમાં અનિતાનું બેભાન થઇ જતાં મોત

જંકશન રેલ્વે સ્ટેશનની ફૂટપાથ પર રહેતી અનિતા કાળુભાઇ (ઉ.૨૦) ગાયકવાડીમાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગરના એએસઆઇ તૃષાબેને જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:52 am IST)