Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મતદાન નહિં જ કરીએ : વિજય વાંકે હજારો આહિર ભાઈઓ પાસે સોગંદ લેવડાવ્યા

રાજકોટ : આહિર સમાજ ઉપર થતાં અન્યાય સામે સોમનાથ - વેરાવળ ખાતે ગઈકાલે આહિર સમાજનું એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સેંકડોની સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ - બહેનો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં ગુજરાત આહિર સમાજના યુવા પ્રમુખ વિજયભાઈ વાંકે હજારો આહિર ભાઈઓ પાસે 'અમે મતદાન નહિં જ કરીએ' તેવા સોગંધ લેવડાવ્યા હતા. રાજકોટથી આહિર સમાજના ભાઈઓએ પૂ. દેવાયતબાપુની પ્રતિમાને ફુલહાર કરી સોમનાથ જવા રવાના થયા હતા. રાજકોટથી આહિર સમાજના આગેવાનો સર્વેશ્રી વિજયભાઈ વાંક, હેમંતભાઈ લોખીલ, વિક્રમભાઈ બોરીચા, જયપ્રકાશ કાનગડ, રામભાઈ હેરમા, નિલેશભાઈ મારૂ, સુરેશભાઈ ગેરૈયા, રવિભાઈ ડાંગર, દિલીપભાઈ પડેશા, ધર્મેશભાઈ વાળા, ખોડુભાઈ સોગડીયા, સુરજભાઈ ડેર સહિતના સેંકડોની સંખ્યામાં જોડાયા હતા.

(4:03 pm IST)