Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર બુધ-ગુરૂવારે બે દિવસીય નિઃશૂલ્ક ઓૈશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

ઓશો સંબોધિ દિવસ : હોળી, ધુળેટી નિમીતે સંચાલક : મૉ સોફિયા, સ્વામી પ્રેમ મૂર્તિ (સ્વીઝરલેન્ડ) તથા સ્વામી સત્ય પ્રકાશઃ નામ નોંધણી શરૃઃ ધ્યાન, ભકિત, ભોજન ના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવાનો અનેરો અવસર

રાજકોટ તા ૧૮ :  આગામી તા ૨૦ તથા ૨૧ માર્ચના રોજ હોળી, ઓૈશોૈ સંબોધિ દિવસ, ધુળેટી નિમીતે મૉ સોૈફિયા, સ્વામિ પ્રેમમૂર્તિ (સ્વીઝરલેન્ડ) તથા ઓૈશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા સંયુકત બે દિવસીય ઓશોૈ ધ્યાન શિબીર તથા સઁન્યાસ ઉત્સવનું આયોજન કરેલ છે. શિબીરનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશકરવાના છે. કાર્યક્રમનું સંચાલન પૂર્વીદીદી કરવાના છે બન્ને દિવસની શિબીરના કાર્યક્રમની રૂપરેખા માં બપોરે ૩ થી રાત્રે ૮.૩૦ દરમ્યાન ઓૈશોૈ ના વિવિધ ધ્યાન પ્રયોગો, ઓશોૈની ૨૧ માર્ચ સંબોધિ દિવસની અમેરીકાની વિડીયો સીડી દર્શાવવામાં આવશે.

ઓૈશોૈ સન્યાસી સ્વામિ દેૈવ રાહુલનો વિશેષ વાર્તાલાપ તથા  હાસ્ય થેરેપી ના નિષ્ણાંત સ્વામિ અંતર પથીક (દિલ્હીવાળા) નો વિશેષ કાર્યક્રમ, સંધ્યા ધ્યાન, સન્યાસ ઉત્સવ બાદ રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે.

ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ ઓૈશોૈ સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધુળેટી ઉત્સવ ઉજવાશે. ઉપરોકત બે દિવસીય ઓૈશોધ્યાન શિબીરમાં સહભાગી થવા માટે સાધકે રૂબરૂ અથવા એસ.એમ.એસ.  દ્વારા નામ નોધણી કરાવવી અત્યંત જરૂરી છે. પુનમજી ઓશોૈ સંબોધિ દિવસની તથા ધુળેટીની શિબીરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને  ેઓૈશોઇતર સર્કલે અનુરોધ કરેલ છે.

સ્થળ : ઓૈશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રદડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે,૪ વૈદ્યવાડી રાજકોટ. વિશેષ માહીતી તથા નામ નોંધણી માટે એસ.એમ.એસ. માટે સ્વામિ સત્ય પ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયંેષભાઇ કોટક મો. ૯૪૨૬૯ ૯૬૮૪૩, નિતીનભાઇ મો. ૯૯૨૪૨ ૩૪૦૯૬

(4:01 pm IST)